Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોરબી : પૂર્વ ધારાસભ્ય દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન.

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રખર ભગવદાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી તા. ૧૨ સપ્ટેમ્બરથી ભાગવત સપ્તાહ

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા ભાઈઓ અને બહેનોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવાનો સંકલ્પ લીધો હોય જે અંતર્ગત ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રી મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રખર ભગવદાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી તા. ૧૨ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે જેથી કોરોના કાળમાં મૃત્યુ પામેલા સ્વજનોનો ફોટો મુકવા તા. ૨૫ ઓગસ્ટ સુધીમાં કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય, ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતે ફોટો પહોંચાડવા જણાવ્યું છે
સંપર્ક:- 9979613433, 9825692844

(1:12 am IST)