Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા તા ૧૧ અને૧૨ બે દિવસ માટે મોરબી જિલ્લાના પ્રવાસે

મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧ અને ૧૨ ઓગસ્ટ એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

 મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૧૧મી ઓગસ્ટ-૨૦૨૨ ના રોજ બપોરે ૦૩:૧૫ કલાકે મોરબી નગરપાલિકા ખાતે મચ્છુ જળ હોનારત દિન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત મૌન રેલી તથા મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણીમંદિર ખાતે દિવંગતોને શ્રદ્ધાજંલી અર્પણ કરશે.
આગામી તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે હર ઘર તિરંગા પદયાત્રા કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૦૯:૦૦ કલાકે લજાઈ માનવ મંદિર ખાતે ૭૩માં વન મહોત્સવમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે..

(12:27 am IST)