Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા જામનગરના નાનકપુરી વિસ્તારના ગુરૂ નાનક મંદિર ખાતે નેત્રયજ્ઞ સંપન્ન : ઍચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલા કેમ્પનો ૬૦૦ જેટલા દર્દીઓઍ લાભ લીધો

 જામનગરઃ હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે શહેરના જુદા–જુદા વિસ્તારોમાં ૩૦ નેત્રયજ્ઞની શ્રૃંખલાનું આયોજન કરાયું છે. જેનો શુભારંભ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિનથી કરવામાં આવ્યો હતો. આ શ્રૃંખલાનો પાંચમો કેમ્પ ગત તા.૦પ ના રવિવારે પવનચકકી નજીક નાનકપુરી સ્થિત ગુરુનાનક મંદિર ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં પ૯૪ દર્દીઅોઍ લાભ લીધો હતો જેમની આંખ તપાસી નંબર કાઢીને સ્થળ પર જ નંબરવાળા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જે–તે વિસ્તારના સ્થાનિક અગ્રણીઅો, કોર્પોરેટરો તેમજ વેપારી આગેવાનો અને ભાજપના વોર્ડ પ્રમુખ–મંત્રી તેમજ વિવિધ મોરચા – સેલના પદાધિકારીઅો વિગેરે ઉપસ્થીત રહયા હતાં. આ તમામને આયોજક બન્ને સંસ્થા વતી ટ્રસ્ટી જીતુભાઈ લાલે આવકાર્યા હતાં અને ઉપસ્થિત અતિથિઅોના હસ્તે દીપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી -જામનગર)

 

(1:43 pm IST)