Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં માછીયારા સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ :એકની હત્યા: ત્રણ ઈજાગ્રસ્ત

બાળકોની બોલાચાલી અને અગાઉના મનદુઃખને લઈ બે જૂથ સામસામે: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

ગીર સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં મોટી જૂથ અથડામણ થઇ છે. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં માછીયારા સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. 

બાળકોની બોલાચાલી અને અગાઉના મનદુઃખને લઈ બે જૂથ સામસામે આવી ગયા હતા અને અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોટ થયું છે અને ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને જૂથને વિખેરી નાખ્યા હતા. હાલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હત્યાના કેસમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:31 pm IST)