Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જામનગરનું ખીજડિયા પક્ષી અભ્યારણ બર્ડફ્લુને લઈને મુલાકાતીઓ માટે બંધ કરી દેવાનો પરિપત્ર અમલમાં

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર:::: જામનગરના ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી સહિતના બર્ડફ્લુને લઈને ગુજરાતમાં પક્ષીઅભ્યારણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જામનગરનું ખીજડિયા પક્ષી અભ્યારણ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાનો પરિપત્ર અમલમાં મુકવામાં આવ્યો છે. એવીયન ઈંફ્લુએન્ઝા વાયરસની ભીતિથી સરકારે ખાસ નિર્ણય લીધો છે. અને રાજ્યના મોટાભાગના પક્ષી અભ્યારણો તાત્કાલિક અસરથી બંધ કરાયા છે. તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર

(9:44 pm IST)