Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ભાવનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇને આપઘાત

ભાવનગર, તા. ૧૧  :  અનંતવાડી વિસ્તારમાં નવજીવન સોસાયટીમાં રહેતાં કોળી યુવાન સન્નીભાઇ કનુભાઇ સોલંકી (ઉ.વ.ર૭)એ તેના ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

મૃતક યુવાન પરણિત છે અને એક સંતાનનો પિતા છે. તે કોઇ હોસ્પિટલમાં કામ કરતો હતો પરંતુ છેલ્લા બે મહિનાથી તેઓ કામ કરતા ન હતા અને બેકાર હતા. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:15 am IST)