Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ગોંડલ સ્‍થિત પત્‍નિ અને સગીર પુત્રીને ભરણ પોષણ ચૂકવવાનો રાજકોટ સ્‍થિત પતિને આદેશ

નીચેની કોર્ટના હુકમ સામે પતિ દ્વારા થયેલ રિવીઝન રદ

રાજકોટ તા. ૧૦ :.. ગોંડલ સ્‍થિત દર્શનાબેન સંદિપભાઇ જોષીએ તેના રાજકોટ સ્‍થિત પતિ વિરૂધ્‍ધ પોતાનું તેમજ પોતાની સગીર પુત્રીનું ભરણ પોષણ ઘરભાડુ સંબંધે કરેલ અરજીમાં નીચેની કોર્ટે અરજદારની તરફેણમાં માસિક ભરણ પોષણ અને ઘરભાડુ ચૂકવવા હુકમ કર્યો હતો. તે સામે તેણીના પતિ દ્વારા થયેલ રીવીઝનમાં ગોંડલની એડી. એસ. કોર્ટે પતિની રીવીઝન રદ કરી અરજદાર દર્શનાબેનને ખોરાકીના રૂા. પ૦૦૦ ઘરભાડાના રૂા. પ૦૦૦ તેમજ તેની પુત્રીના લગ્ન ન થાય ત્‍યાં સુધી પ૦૦૦ની રકમ ચૂકવવાનો હુકમ કરી જૂના હુકમને યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, પ્રથમ નીચેની કોર્ટ દ્વારા અરજદારે કરેલ ઘરેલું હિંસાના કેસમાં પત્‍નિને અને પુત્રીને ભરણ પોષણ સાથે ઘરભાડુ અને લાઇટ બીલની ચૂકવણી કરવા માટે પતિે આદેશ કરતો ગોંડલ કોર્ટે મહત્‍વ પુર્ણ ચૂકાદો આપેલ હતો.

આ કેસની હકિકત મુજબ દર્શનાબેન સંદીપભાઇ જોષી ગોંડલવાળાએ ગોંડલની કોર્ટમાં તેમના પતિ સંદિપભાઇ ભાનુભાઇ જોષી રહે. ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટી રાજકોટ તથા તેમના સસરા ભાનુભાઇ જોષી અને વીરાબેન જોષી સામે ઘરેલું હિંસાથીસ્ત્રીઓનું રક્ષણના કાયદા તળે ફરીયાદ અરજી રજૂ કરેલ હતી. જે ફરીયાદ અરજી મુજબ સંદિપભાઇ ભાનુભાઇ જોષીના લગ્ન દર્શનાબેન સાથે ચાલુ હોય તેમ છતાં સંદિપભાઇએ વીરાબેન સાથે મૈત્રી કરાર કરી તેમને પત્‍નિની દરજજો આપેલ હોય જે સંબંધથી એક પુત્રી સંતાન પણ હોય તેમજ સામાવાળા સંદિપભાઇએ વિના કારણે દર્શનાબેન અને તેમની પુત્રીનો ત્‍યાગ કરેલ હોય લગ્ન સિવાય અન્‍ય સંબંધ રાખેલ હોય જેથી તેમની સામે ગોંડલની કોર્ટમાં ફરીયાદ અરજી રજૂ કરેલ હતી.

આ કામે કેસ ચાલી જતા ગોંડલના અધિક ચીફ જયુ. મેજી. કોર્ટ દ્વારા કોર્ટ સમક્ષ દર્શનાબેન જોષીના વકીલ જીજ્ઞેશ જી. પઢીયાર દ્વારા જે જે પુરાવા રજૂ કરવામાં આવેલ હતા અને આવા કિસ્‍સામાં હાઇકોર્ટ દ્વારા જે ચૂકાદાઓ આપવામાં આવેલ તે રજૂ કરવામાં આવેલ જે તમામ પુરાવો તથા કેસની હકિકત ધ્‍યાને લઇ ગોંડલ કોર્ટ દ્વારા દર્શનાબેનની તરફેણમાં ચૂકાદો જાહેર કરવામાં આવેલ જે મુજબ સંદિપભાઇ જોષીએ તેમના પત્‍નિ દર્શનાબેને અરજી તારીખથી ઘરભાડુ અને ઇલેકટ્રીક શુલ્‍કના માસિક રૂા. પ૦૦૦ તથા ભરણ પોષણના માસિક રૂા. પ૦૦૦, અને પુત્રી હેતને પાંચ વર્ષ સુધી રૂા. રપ૦૦ તથા માનસીક યાતના ભોગવવી પડેલ હોય તેમના વળતર પેટે રૂા. ર૦,૦૦૦ અલગથીચૂકવી આપવા માટે આદેશ કરેલ છે. જેની સામે પતિએ રીવીઝન કરતા કોર્ટે રીવિઝન રદ કરી હતી.

આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના એડવોકેટ જીજ્ઞેશ જી. પઢીયાર, દિપેશ ડી.અંધારીયા, જગદીશ એન. વાઢેર, કૃષ્‍ણરાજસિંહ આર. રાયજાદા, નિલેશ કુરીયા વિગેરે રોકાયેલ હતાં.

 

(4:41 pm IST)