Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

જૂનાગઢ ગિરનાર પર્વત પર ઉષા બ્રેકો કં. દ્વારા નિઃશુલ્‍ક પાણીનું પરબ

જૂનાગઢ : ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિરના પરિસર ખાતે ઉષા બ્રેકો ફાઉન્‍ડેશન દ્વારા ઉષાબેન બ્રેકોના આસી. વાઇસ પ્રેસીડેન્‍ટ શ્રી દિપક કપલીસના માર્ગદર્શન હેઠળ રેસીડેન્‍ટ મેનજર રાજેશભાઇ સહિતના અધિકારીઓની ઉપસ્‍થિતીમાં નિઃશુલ્‍ક પાણીનું પરબ યાત્રિકો માટે યાત્રિક દંપતીના હસ્‍તે ખુલ્લુ મુકવ્‍યુ હતું. આ તકે મંદિરના મહંત પૂ.તનસુખગીરી બાપુએ આર્શીવાદથી શુભારંભ કરાયો હતો. આ તકે મંદિરના પુજારી તથા કિશોરસિંહ ચૌહાણ વિજયભાઇ ત્રિવેદી ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(11:40 am IST)