Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

જોડિયામાં પૂ.ભોલેદાસજીબાપુની પુણ્‍યતિથી નિમિતે સંકિર્તન ધુન - વિશેષ પૂજન

વાંકાનેર તા. ૧૦ : જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્‍થળ શ્રી ઉદાસીન સંત કુટિર ‘‘રામવાડી'' આશ્રમના મહંત પ, પૂજ્‍ય મહંતશ્રી ભોલેદાસજીબાપુની ચોથી પુણ્‍યતિથિ માગસર સુદ પૂનમને ગુરૂવારના ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવણી કરવામાં આવેલ હતી. સવારે પુ મહંતશ્રી ભોલેદાસજીબાપુનું વિશેષ પૂજન રામવાડીના ભાવિકો દ્વારા કરવામાં આવેલ હતુ તેમજ સાંજે ૪ થી ૬ દરમ્‍યાન જોડિયા લક્ષમીપરા ધૂન મંડળ દ્વારા રામ ધૂન‘કીર્તન'નો કાર્યક્રમ શ્રી જ્‍યોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્‍મુખ યોજાયેલ હતો ત્‍યારબાદ શ્રી હનુમાનજી મહારાજ તથા પુ ભોલેબાબાજીની મહાઆરતી બાદ સર્વ ભાવિકોએ મહાપ્રસાદ લીધેલ હતો. 

(11:37 am IST)