Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબીના લખધીરપુર રોડ પરથી શ્રમિકનો મૃતદેહ મળ્યો, વધુ એક હત્યાનો બનાવ.

મોરબી શહેર ઓધોગિક નગરી સાથે ક્રાઈમ નગરી બની રહી હોય તેમ હત્યા જેવા ગંભીર ગુન્હાઓ સામાન્ય બની ગયા છે હજુ તો મોરબીમાં થયેલી ગેંગવોરની ઘટનાના આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નથી ત્યારે આજે લખધીરપુર રોડ પર હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ હાથ ધરી છે

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ રેડીયન્ટ એનર્જી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિકને છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોય તેવી માહિતી મળતા બી ડીવીઝન પીઆઈ વિરલ પટેલ સહિતની ટીમ દોડી ગઈ હતી લેબર ક્વાર્ટર માં શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો જેના શરીર પર છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોય તેવા નિશાન મળી આવ્યા હતા જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:52 pm IST)