Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ટંકારાના લજાઈ ચોકડી નજીક વાડીમાં સાપ કરડી જતા આધેડનું મોત

ટંકારાની લજાઈ ચોકડી નજીક વાડીમાં સાપ કરડી જતા આધેડને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા દરમિયાન ડોકટરે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જે મામલે ટંકારા પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ ટંકારાના લજાઈ ગામે લક્ષ્મણભાઈની વાડીએ રહેતા મુકેશભાઈ મંગલભાઈ ભીલ (ઉ.૪૫) ગત તા. ૨૭-૦૮ ના રોજ વાડીએ કામ કરતા હોય દરમિયાન સાપ કરડી જતા ઝેરી અસર થતા તેને પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોય જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:47 pm IST)