Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સુરેન્દ્રનગરમાં આદુમાં ગણેશજીની પ્રતિકૃતિ

આજથી ગણેશ સ્થાપનાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગણેશોત્સવનો લાંબા સમય બાદ ગણેશ ઉત્સવની સરકાર દ્વારા પરવાનગી પણ આપવામાં આવી છે ત્યારે આજે ઠેર-ઠેર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવશે ત્યારે નવાઈની વાત તો એ છે કે ગણેશજી ક્યાં અને કેવા સ્વરૂપમાં પ્રગટ થાય તે સમજવું જાણવું વિચારવું પણ મુશ્કેલ છે ત્યારે હાલમાં દેશભરમાં ગણેશ ઉત્સવનો જ્યારે પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગણેશજી આદુના વેપારીને ત્યાં આદુમાં ગણેશની પ્રતિકૃતિ સાથે જોવા મળ્યા ત્યારે આનંદની લાગણી છવાઈ જવા પામી  તસ્વીર જેસીંગભાઇ દ્વારા વાયરલ કરવામાં આવી છે ત્યારે નવાઈની વાત તો એ છે કે જ્યારે કોઈપણ નિર્જીવ માં પણ ચોક્કસ ભગવાનના દર્શન થાય છે તે ચોક્કસ છે ત્યારે આબેહૂબ આદુમાં ગણેશજીના દર્શન થયા જે હિન્દુ ધર્મમાં ધન્યતા પ્રાપ્ત થઈ ગણાય તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

(3:24 pm IST)