Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કચ્છના રાપરમાં એક ઇંચ વરસાદ વચ્ચે વીજળી પડતાં ૧૫ ઘેટાં બકરાના મોત

(ભુજ) રાપરમાં ગઇકાલે રાત્રે વરસાદ દરમ્યાન રવેચી મંદિર નજીક ખોડિયાર વાંઢ ખાતે આકાશી વીજળી પડતાં ૧૫ થી વધારે ઘેટાં બકરા ના મોત નીપજ્યા હતા. માલધારી રામા ભુતા ભાઈ રબારી ઉપર એક સાથે ૧૫ ઘેટાં બકરાના મોતથી આભ ફાટ્યું છે. ગત રાત્રે રાપર પંથકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. તે દરમ્યાન મોટી રવ ખાતે સામાન્ય વરસાદ મા આકાશી વીજળી પડી હતી.

(11:25 am IST)