Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સૌરાષ્ટ્રમાં નાથુરામ ગોડસેની પ્રતિમા મુકવા જામનગર હિન્દુ સેના દ્વારા ૩૦ સભ્યોની સમિતીની રચના

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરના દ્વારકાધીશ મંદિર ખાતે હિન્દુ સેના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલના અધ્યક્ષ સ્થાને હોદ્દેદાર સૈનિકોની ક્રાંતિકારી બેઠકમાં તા. ૧૫ નવેમ્બર ૨૦૨૧ ના રોજ મહાત્મા નાથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્ત્।ે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં ક્રાંતિકારી મહાત્મા નાથુરામ ગોડસેની પ્રતિમાને સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો.

જેમાં ગોડસે જીના હેતુઓને સિદ્ઘ કરી ન મરા હે... ન મરેગા... સદીઓ તક જિંદા રહેગા... ના સૂત્રને સાર્થક કરવા તેમની ધર્મભાવના અને રાષ્ટ્રભાવનાને ને ઉજાગર કરી હિન્દુ સેનાએ યુવાનોમાં જોશ, જુસ્સો અને જાગૃતતા લાવવા અભિયાન હાથ ધર્યું છે, જેમાં સૌરાષ્ટ્રના ૩૦ જવાબદાર સૈનિકોની સમિતિ બનાવી આ અભિયાનને આગળ ધપાવવા સંકલ્પ બંધ થયા હતા.

સાથો સાથ સમાજનો સહકાર મળી રહે તે માટે હિન્દુ સેનાની આ ક્રાંતિકારી બેઠક મા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલ, રાજદીપ ગોહિલ, ભાવેશ ઠુંમર, યોગેશ અમરેલીયા, ધીરેન નંદા સહિત સૈનિકોએ વિશેષ જવાબદારી હોંશભેર સંભાળી હતી.

(10:22 am IST)