Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબી તાલુકાના અમરેલી ગામ નજીક ઇનોવા કારની ઠોકરે રાહદારીનું મૃત્યુ

મોરબી તાલુકાના અમરેલી ગામ નજીક ઇનોવા કારની ઠોકરે રાહદારીનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના નવલખી બાયપાસ નજીક ઝુપડામાં રહીને મજુરી કામ કરતા હંસરાજભાઈ માધાભાઈ (ઉ.૬૫) ગત તા. ૮ ના સાંજના અરસામાં અમરેલી ગામની સીમમાં કંડલા બાયપાસ રોડ આરટીઓ કચેરી નજીક રોડ ક્રોસ કરતા હોય દરમિયાન પુર ઝડપે આવતી ઇનોવા કાર જીજે ૩૬ એફ ૮૬૬૬ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવીને રોડ ક્રોસ કરતા હંસરાજભાઈને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(8:57 pm IST)