Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા દસ દિવસીય ગણપતિ મહોત્સવનું આયોજન

મોરબી : મોરબીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા 10 દિવસીય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.
મોરબીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી ઉજવાતો ગણપતિ મહોત્સવ આ વર્ષે પણ તારીખ 10થી 19 દરમિયાન ઉજવવામાં આવશે. જેની સ્થાપના યાત્રા તારીખ 10ને શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે રૂગનાથ મહાદેવ મંદિરથી નીકળીને ગજાનન ધામ, ઉષા પાનની બાજુમાં પહોંચશે. તો આ સ્થાપના યાત્રામાં દરેક લત્તાવાસીને પધારવા આયોજકોએ આમંત્રણ આપ્યું છે. તેમ સ્વસ્તિક ગ્રુપ – ગણેશ મહોત્સવ સમિતિની યાદીમાં જણાવાયું છે.

(8:55 pm IST)