Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કેશોદમાં ૧૪ તાજીયાઃ મહોરમની ઉજવણી

 કેશોદઃ મુસ્‍લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી હતી ઇમામી હુસેન  માટે કુરબાની આપેલ હતી તેની યાદમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે  મુસ્‍લિમ સમાજ દ્વારા મહોરમ નિમીતે દશ દિવસ ન્‍યાઝના આયોજન કરવામાં આવેલ હતું મુસ્‍લિમ ધર્મ નિતી નિયમો મુજબ દશ દિવસ ન્‍યાઝનું આયોજન નવમી દશમી મહોરમના દિવસે મુસ્‍લિમ સમાજ દ્વારા રોઝા રાખી ઇબાદત કરી ઈસ્‍લામી હૂસેનની યાદ તાઝા કરે છે. કેશોદમાં મુસ્‍લિમ સમાજ દ્વારા જુદા જુદા ચૌદ જેટલા તાજીયા બનાવવામાં આવેલ શહીદે કરબલાની યાદમાં ફાતીયા ખાધી કરેલ અને સમસ્‍ત મુસ્‍લિમ સમાજનું ન્‍યાઝનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેશોદ શહેરનાં જુદા જુદા વિસ્‍તારોમાં સબીલ શરૂ કરવામાં આવેલ હતી. કેશોદ પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

(1:26 pm IST)