Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામનગરમાં આત્‍મવિલોપનનો પ્રયાસ કરનાર કોંગ્રેસના આગેવાન ગુન્‍હેગાર નથીઃ અર્જુનભાઇ મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ :.. લમ્‍પીગ્રસ્‍ત ગાયોના જીવ બચાવવાની માગણી સાથે જામનગરમાં આત્‍મ વિલોપનનો પ્રયાસ કરનાર કોંગ્રેસના આગેવાન દીગુભા જાડેજા ઉપર કલમ ૩૦૭ સહિતના નોંધાયેલા ગુન્‍હા સામે પૂર્વ ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ રોષ વ્‍યકત કરીને દીગુભા જાડેજા કોઇ ગુન્‍હેગાર નથી અને તેમની સામે નોંધવામાં આવેલ કેસ પરત ખેંચી લેવા માગણી કરી છે.

પૂર્વ ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે કોંગ્રેસના આગેવાન દીગુભા જાડેજા સામે પોલીસને મારી નાખવાના પ્રયાસો અંગે કલમ ૩૦૭ સહિતના ગુન્‍હા નોંધ્‍યા છે તે ખોટા છે અને ભાજપના દબાણથી આવું થયેલ છે. આજે ઠેર ઠેર અનેક સ્‍થળોએ કૌભાંડો અને હપ્તાખોરીથી દારૂ-જૂગાર ચાલે છે ત્‍યારે આવી ગેરકાયદે પ્રવૃતિનો પર્દાફાશ કરવાની જનતા રેડની ચીમકી અર્જુનભાઇ મોઢવાડીયાએ આપી છે.

(1:20 pm IST)