Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સોમનાથમાં ભકતોની સેવામાં અત્યાધુનિક કલોકરૃમનું લોકાર્પણ

વેરાવળઃ શ્રાવણ માસ પર્વે આવનાર યાત્રિકો મોબાઈલ, પર્સ સહિતની વસ્તુ સુરક્ષા સાથે જમા કરાવી નિશ્ચિંત પણે દર્શનનો લાભ લઇ શકે, તેવા શુભ આશય સાથે વધુ સામાન રહી શકે તેવી ક્ષમતા સાથેના નવા કલોકરૃમનું ઉદઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી, જિલ્લા કલેકટર   આર જી ગોહિલ, જીલ્લા વિકાસ અધિકારી  રવીન્દ્ર ખતાલે, એચ.પી.સી.એલ. કંપની કોડીનારના જનરલ મેનેજર   બી.શેસાચારી,  દિપક પીલ્લઇ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.  એચ.પી.સી.એલ. કંપનીના અનુદાનથી કલોકરૃમની વ્યવસ્થા  ઉભી કરવામાં આવેલ છે.

(2:39 pm IST)