Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કાલે જૂનાગઢમાં રક્ષાબંધન પર્વે રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા સમૂહ ભોજનઃ ૪૫૦થી વધુ પરિવારો ઉપસ્‍થિત રહેશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૯ : જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે આવતીકાલે  ગુરૂવારનારોજ સવારે ૧૧ કલાકે રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન શીશુ મંગલ સામે ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે સમૂહ ભોજનનું આયોજન કરાયું છે.

કોરોના કાળના બે વર્ષ પછી યોજાઇ રહેલ. આ સમૂહ ભોજનમાં ૪૫૦ થી વધુ રાજગોર સમાજના પરિવાર એક જ પંગતમાંબેસી સાથે ભોજન પ્રસાદ લેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના પ્રમુખ કમલેશ ભરાડ અને તેની ટીમ અને સમસ્‍ત જ્ઞાતિ પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે.

(10:49 am IST)