Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

આજે સાંજે ચંદ્રદર્શન કાલથી મહોર્રમ શરૂ

 

રાજકોટ તા. ૧૦ : ગઇકાલે ૨૯મી જીલહજ્જના દિવસે સાંજે આકાશમાં ચંદ્રદર્શન નહીં થતા આજે મંગળવારે ચંદ્રદર્શન થનાર હોઇ આવતીકાલ બુધવારથી મહોર્રમ માસનો પ્રારંભ થનાર છે. જીલહજ્જ માસના ૩૦ દિ' પૂરા થયા છે અને એ ગણત્રી પ્રમાણે હવે ૧૦મી મહોર્રમ ‘આશૂરા' પર્વ શુક્રવારના દિવસે મનાવવામાં આવનાર છે.

(11:19 am IST)