Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જુનાગઢમાંથી લગ્ન કરવાના ઈરાદે સગીરાનું અપહરણ

જૂનાગઢ તા.૯ : મૂળ પ્રભાસ પાટણના અને વાડલા ફાટક નજીક રહેતા શ્રી ભરતભાઈ છગનભાઈ સોલંકીની પુત્રીનું તા.૩-૬-૨૦૨૨ના રોજ લગ્ન કરવાના ઈરાદે, લલચાવી ફોસલાવીને અપહરણ થયેલ છે.

ભોગ બનનાર સગીરાની ઉંમર ૧૬ વર્ષ, ઉંચાઇ ૫.૫ ફૂટ, રંગે ઘઉંવર્ણ અને શરીરે મધ્‍યમ બાંધાના છે. તેણીએ જમણા હાથની કલાઈ પર છુંદણાથી પાય લખાવેલ છે. તેમના સંબંધિત કોઈપણ જાણકારી મળ્‍યે વંથલી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(2:27 pm IST)