Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વલ્લભીપુરના રતનપુર ગામે પશુ ડોકટરનો આપઘાત

ભાવનગર,તા. ૧૦ : વલ્લભભીપુર તાલુકાના રતનપુરા (ગાયકવાડી) ગામે પશુ દવાખાનામાં ડોક્‍ટર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઇ સુરશંગભાઇ ચૌહાણ (ઉવ.૨૫) એ કોઇ અગમ્‍ય કારણોસર દવાખાનામાં જ ગાળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવક વલ્લભીપુરના પીપરિયા ગામનો વતની છે. આ બનાવ અંગે વલ્લભીપુર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. 

(10:45 am IST)