Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કેશોદમાં શ્રીઅષ્‍ટ વિનાયક ગણપતિ મંદિરે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાયો

(સંજય દેવાણી દ્વારા)કેશોદ તા. ૧૦ : કેશોદના વેરાવળ રોડ નજીક ગિરીરાજ નગરમાં સાર્વજનિક પ્‍લોટમાં શ્રીઅષ્ટ વિનાયકᅠ ગણપતિ મંદિર સમિતિ દ્વારા ગણપતી મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્‍યું છે જે મંદિરમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમીતે ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. જેમાં ગણપતિ બાપાના સામૈયા શાષાોકત વિધી અનુસારᅠ યજ્ઞ કર્મ મુર્તી પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ સહીતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ નિમીતે યજ્ઞ આચાર્યશ્રી કિશોરભાઈ રાવલ જયોતિષાચાર્ય દ્વારા વૈદિક મંત્રો વૈદિક વિધીથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવની ઉજવણી કરાવવામાં આવી હતી. મહાપુજા યજ્ઞ કર્મનો અનેક યજમાનોએ લાભ લીધો હતો સાથે મહા પ્રસાદનો પણ લાભ લીધો હતો.

શ્રીઅષ્ટ વિનાયકᅠ ગણપતિ મંદિર સમિતિ દ્વારા ગણપતી મંદિરનું નવ નિર્માણ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવણીના ત્રિદિવસીય કાર્યક્રમમાં સમસ્‍ત ગિરીરાજ નગરના રહેવાસીઓ આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ તથા ધર્મ પ્રેમી જાહેર જનતા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ત્રિદિવસીય મહોત્‍સવનો લાભ લીધો હતો.

(10:26 am IST)