Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ઉના નજીક ૩.૪ ની તિવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા. ૧૦ : ગીર સોમનાથ જીલ્લાના ઉના પાસે આજે બપોરે ૩.૪ ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના એહવાલમાં જણાવાયું છે કે આજે બપોરે ર.પ૮ વાગ્યે ઉનાથી ૩૮ કિ.મી.દક્ષિણ દિશા તરફ કેન્દ્રબિન્દુ ધરાવતા ૩.૪ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આ આંચકાના કારણે ઉનાથી રાજુલા તરફના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત આજે બપોરે સુરેન્દ્રનગર નજીક ર.૧૦ અને ર.૩૧ વાગ્યે  ૧.પની તિવ્રતાના ર હળવા આંચકા અનુભવાયા હતા.(૬.૨૦)

(3:54 pm IST)