Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પાણ ચડાવે ભકિતના બાણ, સત્સંગ ઍ જ કલ્યાણ

સરધાર મહોત્સવ ઐતિહાસિક છે, અવશ્ય લાભ લેજાઃ ચેતન પાણ

રાજકોટ તા. ૯ : સરધાર નિવાસી રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ચેતન પાણઍ સરધાર મંદિરના આંગણે આવતીકાલ શુક્રવારથી ૧૦ દિવસ માટે યોજાનાર શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને ઐતિહાસિક ગણાવી લાભ લેવા સૌ ભકતોને અપીલ કરી છે.
શ્રી ચેતન પાણઍ જણાવેલ કે તીર્થભૂમિ સરધારના આંગણે શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી અન્ય સંતો અને હરિભકતોની અસીમ જહેમતથી યોજાયેલ આ ઉત્સવ અભૂતપૂર્વ બની રહેશે. આ રૂડા અવસરથી સરધારની ધરતી ધન્ય બની છે. ગામવાસી તરીકે અમને ગૌરવ છે. આ મહોત્સવ નવી ઉર્જા અને નવો ઉત્સાહ આપનારો બની રહેશે.

(12:35 pm IST)