Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પુત્રીએ અગ્નિદાહ આપ્‍યાની સનાળીની પ્રથમ ઘટના

રાજકોટઃ અમરેલી જિલ્લાના સનાળી ગામના કેશુભાઈ પાઘડાળનું દુઃખદ અવસાન થતા ઘેરો શોક છવાયો છે. તેમના પુત્રી અંકિતાબેને પિતાને કાંધ આપીને અગ્નિદાહ આપ્‍યો હતો.
સનાળી ગામના કેશુભાઈ પાઘડાળનું આજે દુઃખદ અવસાન થતા ગામમાં ઘેરોશોક છવાઈ ગયો છે. આજે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ગામના આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા તથા શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. સ્‍વ. કેશુભાઈ પાઘડાળના પુત્રી અંકિતાબેને તેમના પિતાને કાંધ આપી હતી અને સ્‍મશાનમાં અગ્નિદાહ આપ્‍યો હતો જે ઘટના સનાળી ગામ માટે પ્રથમ છે.
ખોબા જેવડા સનાળી ગામમાં પુત્રીએ અગ્નિદાહ આપ્‍યો હતો. પુત્રીએ અગ્નિદાહ અને કાંધ આપીને સમાજને નવો રાહ ચીંધ્‍યો છે.
સ્‍વ. કેશુભાઈ પાઘડાળ તે ગોરધનભાઈ, રવજીભાઈ અને જયંતીભાઈના ભાઈ તથા કમળાબેનના પતિ તેમજ અંકિતાબેનના પિતાશ્રીનું અવસાન થતા ગામમાં શોક વ્‍યાપ્‍યો છે.


 

(11:08 am IST)