Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પોરબંદરમાં જૂના હત્યા કેસના મનદુઃખથી એકબીજા ઉપર છરી વડે હુમલોઃ સામસામી પોલીસ ફરીયાદો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૯: એક વર્ષ પહેલા ખુનના બનાવ સંબંધે જૂના મનદુઃખથી ૨ જૂથ સામસામે આવી જતા એકબીજા ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં બંને જૂથ દ્વારા સામસામી પોલીસ ફરીયાદો નોંધાઇ છે પોલીસે આ એકબીજા ઉપર હુમલામાં કુલ ૮ વ્યકિતઓ સામે ગુન્હો નોંધ્યો છે.

એકબીજા ઉપર છરી વડે હુમલામાં પંચહાટડીમાં રહેતા ભાવીન કિશોર સેરાજીએ નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે સુનીલ ઉર્ફે બાલો મહેન્દ્ર જુંગી સહિતનાએ એક વર્ષ પહેલા જેનીશ અશોક કોટીયા સાથે જુના ખૂનના મનદુઃખને કારણે તેનું અપરહરણ કરીને બાઇકમાં લઇ ગયા હતા અને સુનીલ ઉર્ફે બાલો મહેન્દ્ર જુંગી, દક્ષ સાગર કોટીયા, જેનીશ અશોક કોટીયા અને નારણ ઉર્ફે નાની ગોવિંદ લોઢારી સહિતનાએ ભાવીન કિશોર સેરાજી અને તેના મિત્ર મીલન માવજી કોટીયા પર હુમલો કર્યો હતો. જેમાં સિુનલ મીલનને છરીના ઘા ઝીંકી દીધા હતા.

સામા પક્ષે નારણ ઉર્ફે નની ગોવિંદ લોઢારીએ નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે તેના બનેવીના ખૂનના જૂના મનદૂઃખને કારણે મીલન માવજી કોટીયાએ નારણને છરી ઝીંકી દીધી હતી તથા ચંદ્રેશ માવજી કોટીયા, મુની માવજી કોટીયા અને ભાવીન કિશોર સેરાજીએ મારકૂટ કરી હતી અને તેના ભાણેજ અંગદ અશોક કોટીયાને છરી ઝીંકી દીધી હતી. પોલીસે બંને પક્ષની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:08 pm IST)