Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દામનગરના ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ત્રિરંગા વેચાણનો સ્ટોલ પ્રારંભ

દામનગર : સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે દામનગર પોસ્ટ ઓફિસ  સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાનને પહોચાડવા પ્રતિબદ્ધ પવિત્ર યાત્રાધામ સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ત્રિરંગા વેચાણ સ્ટોલનો  મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણીના વરદ હસ્તે પ્રારંભ કરાયો.  શહેરની પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાનને ઘેર ઘેર રાષ્ટ્ર મંદિર બનાવવા  શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતેથી આજે વેચાણ સ્ટોલનો પ્રારંભ કરાયો હતો. શ્રી ભુરખિયા હનુમાનજીના  દર્શનાર્થીઓ ભાવિકો હોંશે હોંશે ત્રિરંગાની ખરીદી કરી ગૌરવ સાથે ત્રિરંગો ખરીદી દાદાના સાનિધ્યમાં લહેરાવતા જોવા મળી રહ્યા હતા. હર ઘર ત્રિરંગા અભિયાન દ્વારા દરેક ઘરને રાષ્ટ્ર મંદિર બનાવીશુ ના સંકલ્પ સાથે શ્રધ્ધાળુ ભાવિકો અને પ્રવાસે પધારેલ શાળા બાળકો શિક્ષકો દ્વારા મોટા પ્રમાણમાં ત્રિરંગો ખરીદી કરી હતી.(તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(12:36 pm IST)