Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ભાવનગરમાં કોરોનાએ ૨ નો ભોગ લીધો : ૬ નવા કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯: ભાવનગરમાં કોરોનાથી વધુ બે ના મોત નિપજયા છે. જયારે વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસએ ભાવનગરમાં વધુ બે નો ભોગ લીધો છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્‍તારમાં રહેતા ૭૫ વર્ષના વૃદ્ધાનું તેમજ શહેરના વિઠ્ઠલવાડી માં રહેતા ૩૦ વર્ષીય મહિલાનું કોરોના ને કારણે મોત નિપજયું છે. ૩૦ વર્ષની મહિલા હજી ગઈકાલે જ કોરોના પોઝિટીવ થઇ હતી.

ભાવનગર શહેરમાં ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ભાવનગર ગ્રામ્‍ય માં ૧ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી ૩૦ અને ભાવનગર ગ્રામ્‍ય માંથી ૬ સહિત કુલ ૩૬ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયેલ છે

ભાવનગરમાં બે મોત નિપજતા ભાવનગર જિલ્લામાં અત્‍યાર કોરોનાનો મૃત્‍યુઆંક વધીને ૩૬૪ થવા પામ્‍યો છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૭૫ રહેવા પામી છે. 

(12:25 pm IST)