Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામમાં શ્રાવણમાસના પ્રથમ સોમવારે બીલીપત્રના શણગાર દર્શન

વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત અને સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં બિરાજતા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર , સાળંગપુર આયોજિત પવિત્ર શ્રાવણમાસ ના આજે પવિત્ર સોમવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના નિજ મંદિરમાં ભવ્ય સિંહાસનમાં ભવ્ય 'બીલીપત્રના અદભુત શણગાર દર્શન' આજે રાખવામાં આવેલ છે,આજરોજ સવારે ૫:૩૦ કલાકે દાદાની 'શણગાર આરતી' થયેલ હતી જે શણગાર આરતી કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીએ ઉતારેલ હતી તેમજ સ્વામી શ્રી ડી.કે.સ્વામીજી રહયા હતા. નિજ મંદિરમાં ભવ્ય સિંહાસન જે સંપૂર્ણ બીલીપત્રના શણગારથી શોભે છે , તેમજ દાદના નિજ મંદિરમાં પણ 'શિવાલય' રાખેલ છે આ ઉપરાંત સાળંગપુર મંદિરમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર માં શ્રાવણમાસ આખો પવિત્ર બ્રાહ્મણ દ્વારા સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ 'વિશેષ શિવ પૂજન' કરવામાં આવશે.

(12:16 pm IST)