Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સાવરકુંડલાનાં બાઢડા નજીક આઈસર ચાલકે કાબુ ગુમાવતા ઝૂંપડા કરી સુતેલા 9 લોકોનાં કચડાઇ જતાં કરૂણ મોત

મહુવા તરફ જતાં મધરાતે ટ્રકચાલકે કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાય : ૨ ગંભીર : સરાણીયા પરિવાર ( ગાળા) મા અરેરાટી

( ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક  ટ્રક ઝૂંપડામાં ઘુસી જતાં 9 લોકોનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે મહુવા તરફ જતાં મધરાતે ટ્રકચાલકે કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાય હોવાનું જાણવા મળ્યું છે.

    ટ્રકચાલકે કાબુ ગુમાવતા 10 ફુટનાં ખાડામાં ટ્રક ખાબક્યો હતોનીચે ઝૂંપડા કરી સુતેલા 9 લોકોનાં કચડાઇ જતાં કરૂણ મોત થયા છે અન્ય 4 ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ સારવાર માટે ખસેડાયા છે સાવરકુંડલા સરકારી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરાઇ છે.

આ અંગે ના મળતા અહેવાલ એવા પ્રકાર ના છે કે સાવરકુંડલા થી દાસ કિલો મીટર  દૂર આવેલ બાઢડા ગામ થી પસાર થતું  આયસરનો ચાલક ઝોલું ખાય જતાં   કાબુ ગુમાવ્યો હતો   સુતેલા સરાણીયા પરિવાર ના ( ગાળા) વ્યક્તિ ઓ ઉપર ફરી જવા થી આ ગોજારા અકસ્માત ની ઘટના માં ૯ વ્યક્તિ ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત  નિજપેલ હતા અને ૨ વ્યક્તિ  ગંભીર રીતે ઘાયલ થયેલ હતા  

આ ગમખ્વાર અકસ્માત ની ઘટના માં ઘાયલ થયેલ 2 વ્યકતિ ને વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરેલ હતા અને મૃતકોને  પી એમ માટે પણ અમરેલી ખચેડવા માં આવેલ હતા આ અકસ્માત ની  ઘટના ની  જાણ થવા થી મામલતદાર . સાવરકુંડલા ટાઉન અને તાલુકા પોલીસ અધિકારી ઓ અને સ્ટાફ તેમજ તાલુકા પંચાયત ના ટી ડી ઓ સ્ટાફ દોડી ગયેલ હતા અને જરૂર પૂરતી તુરત વ્યવસ્થા કરી હતી

(9:13 am IST)