Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

જુનાગઢ શ્રી ભારતી આશ્રમે સંતો માટે અન્નક્ષેત્ર

જુનાગઢ : જુનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી ભારતી આશ્રમ ખાતે શ્રી પંચદશનામજીના અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વેભરભારતીજી મહારાજ દ્વારા ભારતી આશ્રમ ખાતે ધ્વજારોહણ બાદ સંતો-મહંતો માટે અન્નક્ષેત્ર ખુલ્લુ મુકવામાં આવેલ. ઉપરોકત તસ્વીરમાં ધ્વજારોહણવિધી કરતા પૂ. ભારતીબાપુ સાથે હરીગીરીજી, મહેશગીરીજી તેમજ કલેકટર ડો. સૌરભ પારધી મ્યુ. કમિશનર તુષાર સુમેરા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, મેયર ધીરૂભાઇ ગોહેલ, શહેર ભાજપના અધ્યક્ષ પુનિત શર્મા, યોગી પઢીયાર તેમજ અન્નક્ષેત્રમાં પ્રસાદ લેતા પૂ. ભારતીબાપુ, પૂ. ઇન્દ્રભારતીબાપુ, હરીહરાનંદ ભારતીબાપુ મહાદેવ ભારતીબાપુ, ઋષિભારતીબાપુ તેમજ  જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધી મ્યુ. કમિશ્નરશ્રી તુષાર સુમેરા એસપી રવિ તેજા, વાસમ શેટ્ટી નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:04 pm IST)