Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

દાઉદી વ્હોરા સમાજમાં ઉમંગ-ઉત્સાહ... જામનગરમાં કાલે ૩૪માં દાઇના ઉર્ષમાં 'આસ્થા'ની જયોત ઝળહળશે

સૈયદના ઇસ્માઇલ બદ્દરૂદ્દીન સાહેબની તૂરબત પર સતત બે દિ' સંદલ, પુષ્પવર્ષા, મજલીશ, ન્યાઝ સહિતના કાર્યક્રમો

જસદણ તા. ૮ :.. જામનગર ખાતે આવતીકાલે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ૩૪ માં દાઇનો ૩પ૪ મો ઉર્ષ મુબારક આસ્થાભેર  ઉજવણી થશે.

આ પ્રસંગે હજારોની સંખ્યામાં વ્હોરા નિરાદરો આસ્થાપૂર્વક જોડાઇ અંજલી અર્પણ કરશે. અનેક પ્રસંગોથી ગુંથાયેલા ઉર્ષ અવસરે સૈયદના ઇસ્માઇલ બદરૂદીન સાહેબની તુરબત પર રાંદલ ફુલોની સાથે સાથે મજલીશ ન્યાઝ જેવા કાર્યક્રમો યોજાનાર છે.

આ દરમિયાન ગુજરાત સહિત ઠેકઠેકાણેથી વ્હોરા ભાઇ-બહેનો અને બાળકો મઝાર મુબારક પર આવી શ્રધ્ધાના ફૂલો ન્યોછાવર કરશે. જામનગર વ્હોરા સમાજની વિવિધ - કમીટીઓએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

(1:08 pm IST)