Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

રંધોળા પાસે ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતિનું મોતઃ મૃત્યુઆંક ૩૩

૮ વ્યકિતઓ ગંભીર હાલતમાં સારવારમાં

ભાવનગર, તા. ૮ :  ભાવનગર નજીક રંધોળા ખાતેનાં ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીનું મોત નિપજતા મૃત્યુઆંક ૩૩ થયો છે. હજુ ૮ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

 

ભાવનગર-રાજકોટ હાઇવે પર રંધોળા નજીક મંગળવાર સવારે ટ્રક પુલ નીચે ખાબકતાં ૩૧ જાનૈયાઓનાં કરૂણ મોત નિપજ્યા હતા અને ૩૦ થી વધુ ને ગંભીર ઇજા થઇ હતી. ગઇકાલે ઇજાગ્રસ્તનું મોત નિપજ્યા બાદ વધુ એક ઇજાગ્રસ્તું મોત નિપજ્યું છે. આ દુર્ઘટનાનો મૃત્યુ આંક વધી ૩૩ થયો છે. દિપીકાબેન રમેશભાઇ પરમાર (ઉ.વ.૧૯) રહે. પીપળીયા-સિહોરનું સારવાર દરમ્યાન ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોત નિપજયું છે.

જયારે ઇજાગ્રસ્તો પૈકી ૮ જાનૈયાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. એક મહિલા મધુબેન મોહનભાઇ મકવાણા (ઉ.વ.૩૦) ને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. (૯.ર)

(10:58 am IST)