Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મોરબીમાં આંચકીની બિમારીથી કંટાળીને કોળી આધેડે ફાંસો ખાધોઃ જીવ બચી ગયો

શિવરામભાઇ વરાણીયાને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૮: મોરબીમાં જુના ઘુંટુ રોડ પર સિલ્વર પાર્કમાં રહેતાં શિવરામભાઇ પોપટભાઇ વરાણીયા (ઉ.૪૫) નામના કોળી આધેડે રાત્રીના કપડા સુકવવાના તાણીયાના એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જાગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

 

શિવરામભાઇ સિરામીક ફેકટરીમાં નોકરી કરે છે. તે પાંચ ભાઇ અને ચાર બહેનમાં નાના છે અને સંતાનમાં બે પુત્ર છે. દસેક વર્ષથી આંચકીની બિમારી હોઇ દવા કરાવવા છતાં ફરક પડતો ન હોઇ જેથી કંટાળીને આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ મોરબી પોલીસને જાણ કરી હતી.

(10:30 am IST)