Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબીમાં રામધન આશ્રમ ખાતે નવરાત્રિ નિમિત્તે મહાયજ્ઞ, મહાઆરતી,કુમારીકા પૂજન તેમજ મહાપ્રસાદનું આયોજન

મોરબીના મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે નવરાત્રિ પર્વને અનુલક્ષીને મોરબીની ધર્મપ્રેમી જનતા માટે અનેકવિધ આયોજન કરવામાં આવ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર  મોરબીમાં રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે નવરાત્રિ નિમિત્તે મહાયજ્ઞ, મહાઆરતી,કુમારીકા પૂજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રત્નેશ્વરી બહેનને દરેક દીકરીઓને ભેટ આપી તેમજ દક્ષિણા આપી હતી આ ઉપરાંત આયોજનમાં પ્રભુભાઈ, રાજુભાઈ, કેવલભાઈ, દેવકરણભાઈ, ત્રિભોવનભાઈ, મહાદેવભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ સેવક મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

(1:00 am IST)