Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

તલાટી કમ મંત્રીઓના સમર્થનમાં જામનગર જિલ્લાના સરપંચો ઉતરી આવ્યા : જિલ્લાના છ તાલુકાના 400 થી વધુ ગામના સરપંચો સાથે મળી જિલ્લા પંચાયત ખાતે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની ગેરહાજરી હોવાથી પડતી હાલાકીઓને લઈને રજુઆત

જામનગર::સમગ્ર ગુજરાત ની સાથે જામનગરમાં પણ તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માગણીને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે તલાટી કમ મંત્રીઓના સમર્થનમાં જામનગર જિલ્લાના સરપંચો ઉતરી આવ્યા છે. હાલ તહેવારો નજીક છે ત્યારે જ જામનગર જિલ્લાના છ તાલુકાના કુલ 400 થી વધુ ગામના સરપંચો સાથે મળી જિલ્લા પંચાયત ખાતે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની ગેરહાજરી હોવાથી પડતી હાલાકીઓને લઈને એકત્ર થયા હતા અને તલાટી કમ મંત્રીઓની ત્રીજી વખતની આ લડતને પોતાનો ટેકો જાહેર કરી સરકારને માગણીઓ સ્વીકારવા માટે ડીડીઓ મારફત રજૂઆત પણ કરવામાં આવી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી ,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:20 pm IST)