Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જુનાગઢમાં વૃધ્‍ધનાં બંધ મકાનમાંથી રૂા.૧.૯૦ લાખની માલમતાની ચોરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮ :  જુનાગઢમાં ડોકટરના ઘરમાંથી થયેલી ચોરીનો હજુ ભેદ ઉકેલાયો નથી. ત્‍યાં તસકરોએ વધુ એક મકાનને નિશાન બનાવીને રૂા.૧.૯૦ લાખની મતાનો હાથફેરો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જુનાગઢમાં સરદારબાગ પાછળ આવેલ અમન પાર્ક-૧માં રહેતા શકીલ અહેમદ અબ્‍દુલ અજીજ મુન્‍શીનું મકાન તા.૧ થી પ ઓગષ્‍ટ બંધ હતુ.
ત્‍યારે બંધ મકાનના મેઇન દરવાજાનો લોક તોડી તસ્‍કરો ઘરમાં ખાબકયા હતા. બાદમાં ઘરના બે બેડરૂમનાં કબાટમાંથી રૂા.૧ લાખ પાંચ હજારની રોકડ તેમજ  સોનાની નાની મોટી બુટી, સોનાની બંગડી, સોનાના પાટલા વગેરે મળી કુલ રૂા.૧.૯૦ લાખની કિંમતની માલમતા ચોરીને તસ્‍કરો નાસી ગયા હતા.
રવિવારે વૃધ્‍ધાએ ફરિયાદ નોંધાવતા સી ડીવીઝનમાં પીએસઆઇ જે.જે.ગઢવીને એફએસએલ અને ડોગની મદદથી તપાસ હાથ ધરી છે.

 

(1:38 pm IST)