Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ધોરાજીમાં ૧૦૦ તાજીયા પડમાં : કાલે વિશાળ જુલૂસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી-ધોરાજી ખાતે ઇમામ હુસેન અને એમના સાથીદારો ની યાદ માં શહીદી પર્વ ની ઉજવણી ખુબજ શાનો શોકાત ની સાથે થઈ રહી છે બહાર પૂરા ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ માં
 રઝવી કમિટી દ્વારા રાત્રે ૧૦.થી ૧૧.૩૦ વાગ્યા સુધી હાફિઝ ઉવેસ્ સાહેબ યારે અલ્વી પોતાની જોશીલી જબાન માં તકરીર કરી અને કરબલાના શહીદોને ખીરા જ અકી દત પેશ કરવામાં આવી રહી છે
ધોરાજી માં મોહરમ નિયમિત ખીજડા શેરી માં મહેંદી રાત્રી ની ઉજવણી કરવામાં આવેલ મહેંદી રાત્રીની ઉજવણી થયેલ અને કલાત્મક રોજાની ઝિયારત કરાવવામાં આવેલ.
આજે સોમવારના રોજ સૈયદ શિરાજી માતમ અને બાલ કુંવારા માતમની શેજ મુબારક પળમાં આવશે.
આ વર્ષે મોહરમની ઉજવણી ખૂબ જ શાનો શોખતની સાથે થશે એવું પીર એ તરીકત સૈયદ હાજી કયુમ બાવા સીરાજી એ જણાવેલ હતું.
  આજ રોજ બપોરે બે કલાકે ધોરાજીનો સૈયદ રૃસ્તમ માતમ તાજીઓ ઢોલ નગારાની સાથે અને યા હુસેનના ગગન ભેદી નારા સાથે સૈયદ રૃસ્તમ માતમના હોદ્દેદારો અને વારસદારો સૈયદ જાવીદ બાપુ રૃસ્તમવાલા સૈયદ બશીરમીયા બાપુ રૃસ્તમવાલા અને સમગ્ર રૃસ્તમ માતમના હોદ્દેદારો અને હુસેની અકિદાત મંદોની ઉપસ્થિતિમાં તાજીયા પળમાં આવશે આમ ધોરાજી માં નાના મોટા કુલ ૧૦૦ જેટલા તાજીયા સોમવાર ના રોજ બપોરે પળમાં આવશે અને રાત્રે સરઘસ રાતમાં સમગ્ર શહેર માં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો ન્યાજ અને ઠંડા ગરમ પીણા પીવડાવવા આવશે.
અને મંગળવાર ના રોજ સાંજે ૪ કલાકે સૈયદ રુસ્તમ માતમના આગેવાનો ની રાહબરી હેઠળ તાજીયા જુલૂસ ચકલા ચોક ખાતે થી નીકળશે અને ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ પોહચશે ત્યાં દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હુસેની નિયાજ કમિટી દ્વારા ૧૧૦ વર્ષ થી થતી નિયજ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારો લોકો નીયજ નો લાભ લેશે.
અને રાત્રે ૧૦ કલાકે ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ ખાતે જશન એ શહિદ એ આઝમ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે જેમાં નામાંકીત આલીમ દિન બયાન કરશે અને સવારે ૪ કલાકે તમામ તાજીયા કરબલા તરફ જવા રવાના થશે.
   સૌરાષ્ટ્ર કચ્છ મત્વા માલધારી સમાજ ના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી એ જણાવેલ હતું કે ધોરાજી માં તહેવારો માં હિન્દુ સમાજ અને વેપાર ઉદ્યોગ મહા મંડળ અને વેપારીઓનું પણ ખુબજ સહકાર મળતો આવ્યો છે ધોરાજી માં તાજીયા હોઈ કે અન્ય તહેવાર હોઈ હિન્દુ મુસ્લિમો ભાઈચારા સાથે ઉજવે છે અને ખાસ કરી ને વેપાર ઉદ્યોગ મહા મંડળ ના પ્રમુખ એલ ડી વોરા અને કિશોરભાઈ રાઠોડ દિલીપભાઈ હોતવાણી સહિત અનેક વેપારીઓ અને હિન્દુ સમાજ નો ખુબજ સહકાર મળતો આવ્યો છે  

 

(1:11 pm IST)