Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જસદણ પોલીસ સ્ટેશનમા બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન માર્ગદર્શન સેમિનાર યોજાયો

સામાજિક રાજકીય આગેવાનો સહિત આશરે ૧૫૦ જેટલા નાગરિકો હાજર રહ્યા : લોન લેવા માટે સરળતા રહે તે માટે દરેક બેન્કના મનેજરોઓએ યોગ્ય માહિતી માર્ગદર્શન આપ્યું

જસદણ પોલીસ સ્ટેશન ખાતે અશોકકુમાર યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ તથા જયપાલસિંહ રાઠોડ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યની સુચનાથી જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ વિભાગના ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલાના અધ્યક્ષસ્થાને વ્યાજંકવાદ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે તથા વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણા લેવાને બદલે બેન્કમાંથી લોન સરળતાથી મળી રહે તે માટેના માર્ગદર્શન લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતુ.

 જસદણ એસ.બી.આઇ. બેંકના મેનેજર ધર્મેન્દ્ર વિધ્યાર્થી, એક્સીસ બેન્કના મેનેજર અમીતભાઇ પોપટ,કો.ઓપરેટેીવ બેન્કના મેનેજર ઝવેરભાઇ કલકાણી, આઇ.સી.આઇ.સી. બેન્કના મેનેજર અમીતભાઇ ત્રીવેદી, રાજકોટ નાગરીક સહકારી બેન્ક જસદણ શાખાના મેનેજર ભાર્ગવભાઇ પરીખ, રાજકોટ ડીસ્ટ્રીક કો ઓપરેટિંગ બેન્કના ઝોનલ મેનેજર હર્ષદભાઇ કાકડીયા, એચ.ડી.એફ.સી.બેન્કના મેનેજર નીકુંજભાઇ મહેતા, બી.ઓ.આઇના મેનેજર અમરસીંગ મીણા તથા જસદણના આગેવાનો ચંદુભાઈ કચ્છી, જયકાંતભાઈ છાટબાર, રફિકભાઈ રાવાણી, બસીરભાઈ પરમાર, ફૈજલભાઈ ચાવડા, અનિલભાઈ મકાણી, જયેશભાઈ મયાત્રા, ધીરુભાઈ છાયાણી વગેરે  સામાજિક રાજકીય આગેવાનો સહિત આશરે ૧૫૦ જેટલા નાગરિકો હાજર રહેલ,

  ઉપરાંત જે લોકોને નાણાની જરૂરીયાત હોય તો બેન્ક મારફતે લોન લેવા સમજ કરેલ અને લોન લેવા માટે સરળતા બની રહે તે માટે દરેક બેન્કના મનેજરોશ્રીઓએ યોગ્ય માહિતી  માર્ગદર્શન આપેલ હતુ. ગોંડલ વિભાગના ડીવાયએસપી  કે.જી.ઝાલાએ લોકોને બેંકમાંથી લોન સરળતાથી મળી રહે તેમજ વ્યાજંકવાદીઓ પાસેથી મુક્તિ મળે તે અંગેનું માર્ગદર્શન આપેલ અને જસદણ પોલીસ સ્ટેશનના પી.આઇ. ટી.બી.જાનીએ જસદણ પોલીસ સ્ટેશનના કાર્યક્રમમાં પધારેલ બેંક મેનેજરો, સામાજિક -રાજકીય આગેવાનો અને નગરજનોનો આભાર માનેલ હતો. આ કાર્યક્રમનું સંચાલન જસદણના એડવોકેટ  પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ હતું.  

(1:10 am IST)