Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભાવનગરમાં ૧૯ નવા કોરોના કેસ સામે ૧૬ દર્દીઓ રોગમુકત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૭: ભાવનગર જિલ્લામા વધુ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૮૬૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૫ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૯ અને તાલુકાઓના ૭ એમ કુલ ૧૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

જિલ્લામા નોંધાયેલા ૪,૮૬૪ કેસ પૈકી હાલ ૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૭૨૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:39 am IST)