Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

તળાજા નજીક અકસ્માતમાં યુવકનું મોત : મૃતકના દિવાળી પછી લગ્ન હતા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર, તા.૭: ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામેથી મજુરોને છકડો રીક્ષામાં બેસાડી તળાજા તરફ આવી રહ્યો હતો . ત્યારે તળાજામાં પાવઠી રોડ પર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં સખવદર ગામે રહેતો સંજયભાઈ મગનભાઈ શિયાળ ( ઉં.વ .૨૦ ) નામના બાઈકચાલકનું મોત નીપજયું હતું અને છકડામાં સવાર ત્રણને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં . સંજયભાઈના મોતના સમાચાર તેમના પરિવારને અને સખવદર ગામે પહોંચતા ગમગીની છવાઈ ગઈ હતી . દિવાળી બાદ મૃતક યુવક અને તેમની બે બહેનોના લગ્ન નક્કી થયા હતા સખવદર ગામે રહેતો અને તળાજામાં કપડા સિલાઈનું કામ કરતો સંજયભાઈ મગનભાઈ શિયાળ નામનો યુવક બાઈક પર સખવદરથી તળાજા આવવા માટે નીકળ્યો હતો અને રસ્તામાં અકસ્માત થતાં મોત નીપજયું હતું . બનાવની કરૂણતા એવી છે કે સંજયભાઈ અને તેમની બે બહેનોના દિવાળી પછી લગ્ન નક્કી થયેલા હતાં . અકસ્માતથી મૃતકના પરિવાર માં ગમગીની છવાઇ ગઈછે.

(11:26 am IST)