Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જામકંડોરણામાં વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે ભારે વાહનોના રૂટ ડાઈવર્ટ કરાયા

જુનાગઢથી કાલાવડ-જામનગર તરફ જતાં ભારે વાહનો ધોરાજી ચોકડીથી સુપેડી-ઝાંઝમેર-સોડવડર-જામટીમ્બડી-ચીત્રાવડ-જામદાદર ગામ થઇને જઇ શકશે

રાજકોટ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૧૧ ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આથી આ કાર્યક્રમ દરમ્યાન જુનાગઢ-જામનગર આંતર જિલ્લા તરફ જતા સ્ટેટ નેશનલ હાઈવે રોડ ઉપર બહોળા પ્રમણમાં જનમેદની એકત્ર થવાની શકયતાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અરૂણ મહેશ બાબુએ માલવાહક વાહનો, મોટા વાહનો, કોમર્શીયલ વાહનો, (ખાનગી ટ્રાવેલ્સ બસો, પેસેન્જર બસો, એસ.ટી. બસ સિવાયના)ને રૂટ પ્રમાણે નીચે મુજબ ડાયવર્ટ કરવાના હુકમો જારી કર્યા છે.
   જે મુજબ જુનાગઢથી કાલાવડ-જામનગર તરફ જતાં ભારે વાહનો ધોરાજી ચોકડીથી સુપેડી-ઝાંઝમેર-સોડવડર-જામટીમ્

બડી-ચીત્રાવડ-જામદાદર ગામ થઇને જઇ શકશે. અને જામદાદર ગામથી કાલાવડ-જામનગર હાઈવે રોડથી કાલાવડ-જામનગર તરફ જવા માટે તેમજ જામનગર-કાલાવડથી ધોરાજી-જુનાગઢ તરફ જવા માટે જામદાદર ગામના પાટીયાથી જામદાદર ગામ–ચિત્રાવડ–જામટીમ્બડી–સોડવદર–ઝાંઝમેર-સુપેડી-ધોરાજી બાયપાસ થઈ ધોરાજી-જુનાગઢ રોડ તરફ ચલાવવાના રહેશે.
    આ ઉપરાંત, ગોંડલથી કાલાવડ-જામનગર તરફ જતાં ભારે વાહનો ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામથી ગરનાળા ગામના પાટીયા (ગંગોત્રી પેટ્રોલપંપ)થી ગરનાળા ગામ અને ગરનાળા ગામથી બેટાવડ-ખડવંથલી-આંબરડી-તરકાસર ગામના પાટીયાથી માલજીભી પીપળીયા પાટીયુ-વાવડી–સાતોદરથી કાલાવડ-જામનગર હાઈવે રોડ બાજુ ચલાવવા તેમજ જામનગર-કાલાવડથી ગોંડલ જવા માટે સાતોદ-વાવડી-માલજીભી પીપળીયા પાટીયુ-તરકાસર ગામના પાટીયાથી આંબરડી-ખડવંથલી-બેટાવડ ગરનાળા ગામ-ગરનાળા પાટીયુ ગોંડલ રોડે થઈ ગોંડલ તરફ જવા માટે ચલાવવાના રહેશે.
   આ હુકમો તા. ૧૧/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૦૬–૦૦ કલાકથી બપોરે ૧૫–૦૦ કલાક સુધી અમલી રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે.

(9:06 pm IST)