Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ધંધામાં મંદી-બિમારી થી કંટાળી મોરબીના વેપારી જયશભાઇ રાણપરાનો આપઘાત

મકનસર ગામે સીમમાં વિજકરંટ લાગતા શ્રમીક મહિલાનું મોત

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૭ :   મોરબીમાં ધંધામાં નુકસાની અને બીમારથી કંટાળી આધેડે મચ્છુ ડેમમાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે.

 પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિશ્વકર્મા મંદિર પાસે ભવાની ચોકમાં રહેતા અને સોનીકામ કરતા ૪૪ જયેશભાઇ છગનભાઇ રાણપરા નામના વેપારીએ ધંધામાં મંદી અને બ્લડપ્રેશરની બીમારી અને બન્ને પગના ગોળાની તકલીફથી કંટાળી જોધપર ગામની સીમમા ફ્લોરા રીવર સાઇડ પાછળ આવેલ મંડળીના ટાંકાની બાજુમા મચ્છુ-૨ ડેમમા ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં  મોરબીના રફાળિયા ગામે રહેતી ૩૩ વર્ષીય રાજુબેન ભુપતભાઇ ગમારા નામના મહિલા મકનસર ગામે વિરજીભાઈની વાડીએ કામ કરી હતી. એ સમયે તેને વીજશોક લાગતા  મોરબીની આયુષ હોપિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ફરજ તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:58 pm IST)