Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દ્વારકા મંદિરની આજુબાજુ સર્વેની ચર્ચાઃ બેટમાં વિવાદિત બાંધકામો તોડવા રાત્રે ડિમોલીશન ?

ડિમોલીશન પછી પણ પોલીસ બંદોબસ્ત રાખવાની રજુઆત : નિતેશ પાંડેની ખાત્રી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૭ : દ્વારકા મંદિરની આજુબાજુમાં સવે કરાઇ રહયો હોવાનું જાણવા મળી રહયુ છે.

બેટમાં દશેક દિવસ ડિમોલીશન ચાલનાર હોવાનું જાણવા મળી રહયુ છે. કેટલાક વિવાદીત બાંધકામ તોડવા માટે મોડી રાત્રે ડિમોલીશન કરાઇ તો નવાઇ નહી.

મળતી માહિતી મુજબ બેટના રહેવાસીઓ જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેને મળી ને રજુઆત કરાઇ છે કે ડિમોલીશન પુર્ણ થયા બાદ લાબા સમય સુધી બંદોબસ્ત ચાલુ રાખવામાં આવે જેમાં પોલીસવડાએ ખાત્રી આપતા બેટના રહેવાસીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે.

(4:32 pm IST)