Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જસદણના આનંદનગર વિસ્‍તારમાં ટા્રફિક સમસ્‍યા : અનેક લોકો ત્રાહિમામ

(હુસામુદ્‌ીન કપાસી દ્વારા)જસદણ તા. ૭ : આનંદનગર વિસ્‍તારમાં રહેતા અનેક લોકો રોડ પર સવારથી બાઈકની હારમાળા સર્જાતી હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ અંગે જવાબદાર તંત્ર યોગ્‍ય પગલાં ભરી આ વિસ્‍તારોના રહીશોને ગેરકાયદે પાર્કિંગથી છુટકારો આપે એવી માંગણી આનંદનગરના નાગરિકોએ કરી છે. 

એસ ટી ડેપો પાછળ આવેલ બે શેરીઓમાં લાંબા સમયથી હીરાનાં કારખાનાં ધમધમી રહ્યાં છે. આ વિસ્‍તાર રહેણાંક હોવાં છતાં કેટલાંય હીરાનાં કારખાનાં ધમધમી રહ્યાં છે આ કારખાનાંઓને કોણે મંજૂરી આપી? તે સવાલ વર્ષોથી હવામાં અધ્‍ધર લટકી રહ્યો છે પણ આ હીરાના કારખાનાંમાં કામે આવતાં હજારો કારીગરો પોતાનું બાઈક કારખાનામાં ર્પાકિંગ કરવાને બદલે આ આનંદનગરની બન્ને શેરોઓમાં કરતાં હોવાથી આ વિસ્‍તારમાં રહેણાંક ધરાવતાં અનેક પરિવારો લાંબા સમયથી હેરાન પરેશાન છે. એટલુ જ નહી પરંતુ આ વિસ્‍તારમાં અવરજવર કરતાં નાગરિકો અને વાહનચાલકો બાઈકોના થપ્‍પા લાગેલા હોવાથી દરરોજ અકળાઈ ઉઠે છે છતાં સબંધિત તંત્ર કાર્યવાહી કરતું નથી.  આનંદનગર વિસ્‍તાર સહિત અનેક વિસ્‍તારોમાં બાંધકામો થાય છે પણ કોઈ બાંધકામમાં ર્પાકિંગની વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી. કરોડો રૂપિયાની જગ્‍યાઓમાંથી જવાબદાર તંત્રના અધિકારોઓ, ઇજનેરો અને કર્મચારીઓ મલાઈ તારવી જાય છે અને મુસીબત પ્રજાને વેઠવી પડી રહી છે એવો આનંદનગરના રહેવાસીઓએ તંત્ર સમક્ષ રોષ વ્‍યક્‍ત કર્યો હતો ત્‍યારે આનંદનગરમાં ગેરકાયદેસર થતાં બાઈક ર્પાકિંગ સામે તંત્ર ઠોસ પગલાં ભરે તો અત્રેના રેહવાસીઓ રાહતનોશ્વાસ લઈ શકે એવી આ વિસ્‍તારના નાગરિકોની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

(11:42 am IST)