Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પૂ. મોરારીબાપુ દ્વારા ટોકયો ઓલિમ્પીકના ખેલાડીઓ, કોચ સહિત રર૮ ભારતીયોને રૂ. રપ-રપ હજારનો પુરસ્કાર

રાજકોટ, તા. ૭ :  ટોકયો ઓલિમ્પીક ગેર્મ્સ રમવા ગયેલ ભારતીય ખેલાડીઓ અને કોચને પૂ. મોરારી બાપુ દ્વારા રૂ. રપ-રપ હજાર પુરસ્કાર રૂપે આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અમરકંટક ખાતે ચાલી રહેલી પૂ. મોરારીબાપુની કથામાં આ જાહેરાત કરવામાં આવી છે. વ્યાસપીઠ ઉપરથી પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે ટોકયો ઓલિમ્પીકમાં ભાગ લેવા માટે ૧ર૭ ભારતીય ખેલાડીઓ ગયા છે જેની સાથે કોચ સહિત કુલ રર૮ ભારતીયો ટોકયો ખાતે ઓલિમ્પીકમાં જોડાયા છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે હાર-જીત જુદી વાત છે પરંતુ દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પીક ગેમ્સમાં પહોંચવું તે મોટી વાત છે. આ ગેમ્સમાં ભાગ લઇને ૧ર૭ ભારતીયોએ ભારતને ગૌરવ અપાવ્યું છે. ત્યારે વ્યાસપીઠની પ્રસાદી રૂપે દરેક ખેલાડીઓ અને તેના કોચ સહિત રર૮ ભારતીયોને આ પુરસ્કાર આપવામાં આવશે. 

(3:20 pm IST)