Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી પેપરમિલ એસોસીએશનના પ્રમુખ પદેથી કિરીટભાઈ ફૂલતરીયાનું રાજીનામું

મોરબી પેપરમિલ એસોસીએશનના પ્રમુખ પદેથી કિરીટભાઈ ફૂલતરીયાનું રાજીનામું

મોરબીના પેપરમિલ એસોના પ્રમુખ તરીકે કાર્યરત કિરીટભાઈ ફૂલતરીયાએ આજે રાજીનામું આપ્યું છે જે રાજીનામાં પત્રમાં તેમને સ્વેચ્છાએ રાજીનામું આપ્યાનું જણાવ્યું છે
કિરીટભાઈ ફૂલતરીયાએ આપેલ રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે પેપરમિલ એસોની સ્થાપના વર્ષ ૨૩-૦૩-૨૦૧૧ ના રોજ થઇ હતી અને પ્રથમ પ્રમુખ તરીકે તેઓની નિમણુક કરવામાં આવી હતી પ્રમુખ તરીકે અત્યાર સુધી તેઓ કાર્યરત હતા ૯ વર્ષ જેટલો બહોળો સમય તેમને કામ કરવાની તક મળી છે તા. ૦૫-૦૮ ના રોજ ટ્રાન્સપોર્ટ હડતાલને અનુલક્ષીને લેટર પેડ પર જે લખાણ આપેલ તેનો વિરોધ થયેલ છે કિરીટભાઈએ પોતાની વિવેકબુદ્ધિ મુજબ પ્રમુખ તરીકે લખેલ જેમાં કોઈ વાંધાજનક કે કોઈ નિર્ણય લીધેલ નથી કઈ ખોટું લખીને આપ્યું નથી જે અમુક પેપરમિલ ઉદ્યોગકારોને વિરોધ છે જેથી તેઓ દિલગીરી વ્યક્ત કરી હતી અને અત્યાર સુધીના પ્રમુખ તરીકેના કાર્યકાલમાં સહકાર મળ્યો હોય જે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો છે
અંતમાં તેઓએ આજે તા. ૦૬ ઓગસ્ટના રોજ મોરબી પેપરમિલ એસોના પ્રમુખ તરીકે સ્વેચ્છાએ રાજીનામું આપતા હોવાનું જણાવ્યું છે

 

(1:19 pm IST)