Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સાવરકુંડલા સ્વામીનારાયણ ગુરૂકુળ દ્વારા નેત્ર નિદાન કેમ્પ

સાવરકુંડલા : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ સાવરકુંડલા દ્વારા મોતીયાના દર્દથી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી ર૯પમાં નેત્રકેમ્પનું સરકારશ્રીના કોરોના ગાઇડ લાઇનના સંપુર્ણપાલન સાથે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગરના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૧૮૭ દર્દીઓની આંખના રોગની તપાસ કરવામાં આવી હતી. ર૭ દર્દીઓને આંખના મોતીયાના ઓપરેશન કરવાની જરૂરીયાત હતી. તેઓને વિનામૂલ્યે મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા. કેમ્પની શરૂઆત સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી અને વિરનગરના ડોકટરશ્રી અને ડો. એન.આર.ત્રિવેદી અને નિમેષભાઇ સી. મહેતાના વરદ હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ કેમ્પના દાતા સ્વ. ધીરજલાલ કાનજીભાઇ ઘેલાણી - મુંબઇ હ. ઘેલાણી પરિવાર રહયા હતા. (તસ્વીર : અહેવાલ - દિપક પાંધી - સાવરકુંડલા)

(1:08 pm IST)